આ હત્યામાં હિંદુ મહાસભાના અન્ય મેમ્બરો નારાયણ આપ્ટે ,વિષ્ણુ કરકરે ,દિગમ્બર બડગે ,મદનલાલ પહાવા અને ગોપાલ ગોડસે પણ હતા .
નથુરામ ના ભાઈ ગોપાલ ગોડસે લખેલા પુસ્તક may it please you honour માં નથુરામ નું ૯૩ પાનાનું સંપૂર્ણ નિવેદન છે. આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું છે.
આખરે ૨૬૦ દિવસ લાંબા કાનૂની સંઘર્ષ બાદ ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૯ ના રોજ દેલ્હી ના લાલ કિલ્લામાં ૧૧-૩૦ વાગે જસ્ટીસ આત્માચારણે ૨૦૪ પાનાં નો ચુકાદો આપ્યો . તેમાં નથુરામ ,નારાયણ આપ્ટે મુખ્ય આરોપી ગણી મોતની સજા થઇ જયારે વિષ્ણુ કરકરે ,મદનલાલ ,શંકર ,ડૉ દત્રાત્રેય ,ગોપાલ ને જન્મ ટીપ ની સજા થઇ જયારે વીર સાવરકર નીર્દોષ છુટ્યા .પંજાબની અંબાલા સેન્ટ્રલ જેલમાં ૧૫ નવેમ્બર ૧૯૪૯ ના રોજ નથુરામ ગોડસે ,નારાયણ આપ્ટે ને ફાંસી અપાઈ
No comments:
Post a Comment