Pages

JOIN THE TEAM

Search This Website

Saturday 30 June 2012

જીવન મંત્ર

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ને કોણ નથી જાણતું ? "સાદું અને ઉચ્ચ વિચાર" એ એમનો પણ જીવન મંત્ર હતો.મોટા અધિકારી ને મળવા જવાનું હોય તો પણ એ ધોતિયું ,ઝબ્ભો અને ચંપલ જ પહેરતા.એક વાર એ એક કોલેજ ના અંગ્રજ આચાર્ય કેટ ને મળવા ગયા.એમની કેબીન માં પ્રવેશ્યા  ત્યારે અમને જોયું કે કેટ તો બુટ પહેરીને તબલે પર પગ મુકીને બેઠા છે .ઈશ્વર ચંદ્ર ને જોઈ ને અમને પગ નીચે મુક્યા નહિ.અરે  ,અમને બેસવાનું પણ ન કહ્યું.ઈશ્વરચંદ્ર એમનું કામ પતાવી કોલેજ પાછા ફર્યા.

          થોડા દિવસ પછી એ જ અંગ્રજ આચાર્ય ને સંસ્કૃત ની કોલેજ જવું પડ્યું.જેવા એ ઈશ્વરચંદ્ર ના કેબીન માં પ્રવેશ્યા ,ઈશ્વરચંદ્ર એ આવકાર તો ન જ આપ્યો,અને ટેબલ પરથી પગ નીચે પણ ન જ મુક્યો. અરે , એમને બેસવા માટે ખુરસી પણ ના આપી.કેટ તો ગુસ્સા થી લાલ ચોળ થઇ ગયા.પોતાના આવા અપમાન બદલ તેમણે પરિષદ ના મંત્રી ને ફરિયાદ કરી.

      મંત્રી એ આ અંગે ઈશ્વરચંદ્ર પાસે જવાબ માંગ્યો ત્યારે અમને લખ્યું ," હું એક સીધો સાદો હિન્દુસ્તાની નાગરિક યુરોપ ની રીતભાત મને સુ આવડે ?થોડા દિવસ પેહલા હું કેટ ને મળવા ગયો હતો ત્યારે એ બરાબર આવી જ રીતે બેઠા હતા.મને બેસવાનું કહ્યા વગર મારી સાથે વાતચીત કરતા રહ્યા.પેહલા મને તો નવી લાગી પણ પછી મેં વિચાર્યું કે યુરોપ માં કદાચ આને જ શિષ્ટચાર કેહ્વતો હશે.એટલે જયારે તે મારીઓફીસે  આવ્યા ત્યારે હું એવા જ શિષ્ટાચાર માં વર્ત્યો.એમને નારાજ કરવાનો મારો કોઈ ઈરાદો નતો.મંત્રી ને આખી વાત સમજઈ ગઈ.ઈશ્વરચંદ્રે પોતાના વર્તન થી એવો મૌન સંદેશો આપ્યો કે ,જેવા વર્તન ની તમે બીજા પાસે આશા રાખો છો  એવુજ વર્તન પણ તમે બીજા સાથે કરો.

No comments:

Post a Comment

Featured

Advertisement