Pages

JOIN THE TEAM

Highlight Of Last Week

Search This Website

Sunday, 1 July 2012

ભગતસિંહ



      એક વાર એક ગામમાં એક કુટુંબ રેહતું હતું.તેમાં એક બાળક કે જેના મનમાં નાનપણ થી જ દેશ પ્રત્યે પ્રેમ હતો.એક વાર તે તેના પિતા સાથે ખેતર માં જતો હતો ,ત્યારે તેને ખેતર માં કામ કરતા મજૂરો ને જોઈ ને પૂછ્યું કે પિતાજી આઓકો સુ કરી રહ્યા છે,ત્યારે તેના પિતા એ તેને કહ્યું કે આ લોકો અનાજ ના બીજ વાવી રહ્યા છે.થોડા દિવસ પછી તે મોટા થશે અને તેમાંથી અનાજ મળશે.
     થોડા દિવસ પછી તે ખેતર માં લોખંડ ના સળિયા લઈને ગયો અને તેને રોપવા લાગ્યો,ત્યારે તેના પિતાજી એ તેને કહ્યું કે બેટા આ સુ કરી રહ્યો છુ ? તો તેને જવાબ આપ્યો કે પિતાજી હું આ સળિયા રોપું તે મોટા થશે એટલે તેમાંથી બંદુકો બનાવી ને આપના દેશ  માં રહેલા અંગ્રેજો ને હાંકી કાઢીશ. તેનો જવાબ સંભારી ને તેના પિતા ની ચાટી ગજ ગજ ફૂલી.તો આ બાળક બીજું કોઈ ની પણ દેશ માટે પોતાનું બલિદાન આપનાર "વીર ભગતસિંહ હતા."
Read More »

Saturday, 30 June 2012

જીવન મંત્ર

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ને કોણ નથી જાણતું ? "સાદું અને ઉચ્ચ વિચાર" એ એમનો પણ જીવન મંત્ર હતો.મોટા અધિકારી ને મળવા જવાનું હોય તો પણ એ ધોતિયું ,ઝબ્ભો અને ચંપલ જ પહેરતા.એક વાર એ એક કોલેજ ના અંગ્રજ આચાર્ય કેટ ને મળવા ગયા.એમની કેબીન માં પ્રવેશ્યા  ત્યારે અમને જોયું કે કેટ તો બુટ પહેરીને તબલે પર પગ મુકીને બેઠા છે .ઈશ્વર ચંદ્ર ને જોઈ ને અમને પગ નીચે મુક્યા નહિ.અરે  ,અમને બેસવાનું પણ ન કહ્યું.ઈશ્વરચંદ્ર એમનું કામ પતાવી કોલેજ પાછા ફર્યા.

          થોડા દિવસ પછી એ જ અંગ્રજ આચાર્ય ને સંસ્કૃત ની કોલેજ જવું પડ્યું.જેવા એ ઈશ્વરચંદ્ર ના કેબીન માં પ્રવેશ્યા ,ઈશ્વરચંદ્ર એ આવકાર તો ન જ આપ્યો,અને ટેબલ પરથી પગ નીચે પણ ન જ મુક્યો. અરે , એમને બેસવા માટે ખુરસી પણ ના આપી.કેટ તો ગુસ્સા થી લાલ ચોળ થઇ ગયા.પોતાના આવા અપમાન બદલ તેમણે પરિષદ ના મંત્રી ને ફરિયાદ કરી.

      મંત્રી એ આ અંગે ઈશ્વરચંદ્ર પાસે જવાબ માંગ્યો ત્યારે અમને લખ્યું ," હું એક સીધો સાદો હિન્દુસ્તાની નાગરિક યુરોપ ની રીતભાત મને સુ આવડે ?થોડા દિવસ પેહલા હું કેટ ને મળવા ગયો હતો ત્યારે એ બરાબર આવી જ રીતે બેઠા હતા.મને બેસવાનું કહ્યા વગર મારી સાથે વાતચીત કરતા રહ્યા.પેહલા મને તો નવી લાગી પણ પછી મેં વિચાર્યું કે યુરોપ માં કદાચ આને જ શિષ્ટચાર કેહ્વતો હશે.એટલે જયારે તે મારીઓફીસે  આવ્યા ત્યારે હું એવા જ શિષ્ટાચાર માં વર્ત્યો.એમને નારાજ કરવાનો મારો કોઈ ઈરાદો નતો.મંત્રી ને આખી વાત સમજઈ ગઈ.ઈશ્વરચંદ્રે પોતાના વર્તન થી એવો મૌન સંદેશો આપ્યો કે ,જેવા વર્તન ની તમે બીજા પાસે આશા રાખો છો  એવુજ વર્તન પણ તમે બીજા સાથે કરો.
Read More »

મિત્રતા, શત્રુતા અને બોધ


શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી. બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો. પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા. એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું. અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને પડી ગયું

એવામાં એક ગાય ત્યાંથી નીકળી. બેહોશ પંખીને જોઈને તેણે પંખીની ઉપર છાણ કર્યું. પંખી આખું છાણમાં દટાઈ ગયું. પણ છાણની ગરમીથી થોડીવારે તેને હૂંફ વળી અને તે ભાનમાં આવ્યું અને તે ગીતો ગાવા લાગ્યું. આ ગીત રસ્તે જતી એક બિલાડીએ સાંભળ્યું અને તેણે છાણ ખસેડીને પંખીને બહાર કાઢ્યું અને તેને ખાઈ ગઈ.


બોધ

જ્યારે વખત પ્રતિકુળ હોય, ત્યારે આડેધડ ન રખડો.
જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.
જે તમને ગંદકીમાંથી બહાર આવવામાં મદદ કરે તે તમારો મિત્ર જ હોય તેવું પણ નથી.
Read More »

મોટા જ્યારે હતા નાના


કોણ કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી? પ્રખ્યાત માણસો પણ જ્યારે નાના હતા ત્યારે તેમનામાં કેવા લક્ષણ દેખાતા હતા? આપણા દેશની વિભૂતિઓના બાળપણ વિષે અનેક વાતો જાણવા મળે છે..થોડા વિદેશી મહાનુભાવો વિષે વાંચો…
  • ઈ.સ. ૧૮૯૮માં મ્યૂનિક ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટમાં દાખલ થવા એક વિદ્યાર્થીએ
    આઈન્સ્ટાઈન બાળપણમાં તેની બહેન માયા (Maja) સાથે
    અરજી કરી. ઈન્સ્ટીટ્યુટે એ નકારી કાઢી. કારણ? તેમના મત મુજબ અરજદારમાં “ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટના સ્ટુડન્ટ બનવાની એકપણ લાયકાત નહોતી.”
    એ અરજદારનું નામ? આલ્બર્ટ આઈનસ્ટાઈન.
  • વિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો સફળ થયો તે એના સ્કુલ ટીચર્સને કદાચ માનવામાં નહિ આવે. પિકાસોએ દસ વર્ષની ઉંમરે શાળા છોડી. કારણ? તે આલ્ફાબેટના અક્ષરો યાદ નહોતો રાખી શક્તો.
    (પિકાસોની માતાએ એકવાર કહ્યું હતું કે તે બોલતા શીખ્યો તે પહેલા ચિત્ર દોરતા શીખ્યો હતો. કહેવાય છે કે તે જે પહેલા શબ્દો બોલ્યો હતો તે હતા, “પીઝ, પીઝ” એટલે કે, “લેપિઝ” (પેન્સીલ માટેનો સ્પેનીશ શબ્દ.)
  • પ્રખ્યાત અમેરિકન કેસીનો માલિક અને રિયલ એસ્ટેટ માંધાતા ડોનાલ્ડ ટ્રમ્પે નાનપણમાં એના મ્યૂઝિક ટીચરને ગુસ્સાથી માર્યું હતું. કારણ? ટ્રમ્પ કહે છે, “મને નહોતું લાગતું કે એને સંગીતની કશી ગતાગમ હોય!”
  • પ્રખ્યાત અમેરિકન દૈનિક “કેન્સાસ સીટી સ્ટાર”માં ચિત્રકાર તરીકે જોડાવા એક
    વૉલ્ટ ડીઝની
    વાર એક છોકરડાએ અરજી કરી. તેને નોકરી ન મળી. પછી તેણે “ઓફીસબોય” તરીકે જોડાવા અરજી કરી – નોકરી ન મળી. ત્યાર બાદ તેની ટ્રક ડ્રાઈવરની જગ્યા માટેની અરજી પણ નકારી કાઢવામાં આવી.
    એ છોકરડો મોટો થયો અને મૃત્યુ પણ પામ્યો તે પછી એક રીતે તેણે બદલો લીધો. તેની કંપનીએ “કેન્સાસ સીટી સ્ટાર” ખરીદી લીધું. કંપની – વૉલ્ટ ડીઝની કૉર્પોરેશન અને છોકરડો – તમે સમજી ગયા તેમ, વૉલ્ટ ડીઝની
Read More »

સ્વામી વિવેકાનંદ વિવેક્વાણી


Read More »

Friday, 29 June 2012

સિંહ અને શિયાળ

           રવિવારને દિવસે સિંહ તેની બોડ બહાર સુસ્તાતો હતો. પસાર થતાં એક શિયાળે પૂછ્યું, ‘સમય કહેશો? મારી ઘડિયાળ બગડી ગઇ છે.’ સમય કહેતાં સિંહે કહ્યું, ‘હું તમારી ઘડિયાળ રિપેર કરી દઇશ.’ શંકા દર્શાવતાં શિયાળે કહ્યું, ‘આ યંત્રરચના અઘરી છે. વળી તમારો હાથ લાગતાં ઊલટી વધારે બગડી જશે.’સિંહે કહ્યું, ‘લાવો તો ખરા, હું રિપેરિંગની ગેરંટી આપું છું.’ ઘડિયાળ લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વાર પછી રિપેર થઇને બરાબર ચાલતી ઘડિયાળ સાથે પાછો ફર્યો. શિયાળ આદર સાથે નવાઇ પામ્યો. સિંહ પાછો સુસ્તાવા લાગ્યો.થોડી વારમાં એક વરુ આવ્યું. તેણે સિંહને પૂછ્યું, ‘મારું ટીવી બગડી ગયું છે તેથી હું તમારે ત્યાં વન ડે મેચ જોઇ શકું?’ સિંહે કહ્યું, ‘લાવો તમારું ટીવી રિપેર કરી આપું.’ વરુએ કહ્યું, ‘સિંહને તે વળી ટીવી રિપેર કરતાં આવડતું હશે?’ સિંહે વળતાં કહ્યું, ‘પ્રયત્ન કરવામાં વાંધો શું છે?’ વરુ ટીવી લઇ આવ્યો. ટીવી લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વારે રિપેર થયેલું ટીવી લઇને પાછો આવ્યો. વરુ નવાઇ પામ્યું અને રાજી થયું.હવે ગુફાની અંદરનું દ્રશ્ય જુઓ. એક ખૂણામાં નાના અને બુદ્ધિશાળી સસલાઓ બેઠા હતા અને સાધન-સરંજામની મદદથી ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન વગેરે રિપેર કરતા હતા. સામેના ખૂણામાં એક સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો.

(કથાબોધ : કોઇ બુદ્ધુ માણસને પ્રગતિ કરતો જોઇ તમને નવાઇ લાગે ત્યારે તેના અનુચરો તરફ જોવું, તે બધા બુદ્ધિશાળી હશે. જે મેનેજરના કારીગરો કુશળ હોય તે મેનેજરને લાયકાત વિના પણ બઢતી મળે છે. પાઠ નંબર બે, સસલાને મારીને ખાઇ જવા કરતાં તેમની પાસે કામ લેવાથી વધારે ફાયદો થાય છે.)




Read More »

ઘોડાનો સોદાગર

બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું. બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.

(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.)- – -
Read More »

Featured

Advertisement